“હ્યુમાનીટી ફાઉન્ડેશન” તથા અરબગલીના નવજવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી નોટબુક વિતરણનું કાર્યક્રમ સફળતા પુ્ર્વક યોજાયો
“શિક્ષણ એ આપણા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.”
અમદાવાદ,તા.05
શહેરના અરબગલી, પત્થરકુવા રીલીફ રોડ ખાતે તા. 05/06/25 ગુરુવારના રોજ સાંજે ૭થી ૯ના સમયે “હ્યુમાનીટી ફાઉન્ડેશન” (Humanity Foundation) તથા અરબગલીના નવજવાનો દ્વારા ૧થી ૯ ધોરણમાં ભણતા ૧૪૦૦થી વધુ વિદ્યાર્થીઓને નોટ-ચોપડાનું ફ્રીમાં વિતરણ કરવાનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં તેજસ્વી તારલાઓનો સન્માન પણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમની શરૂઆત હાફીઝ ફઝલુ રેહમાન (ઈમામ અરબ મસ્જીદ)એ કુરાન શરીફનું પઠન કરીને કરી હતી.
આ કાર્યક્રમમાં મિડિયા પાર્ટનર તરીકે “પોલીસ ફાઇલ”, “એસ.આર ન્યુઝ”, “સત્ય ગુજરાત”, “મારુ મંતવ્ય”, “સત્યની ફાઈલ”, “12 Now News”, “ધ પાવર ઓફ ટ્રૂથ” તથા “સફીર” ન્યૂઝએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સહાયક સંસ્થાઓમાં “અરબ મસ્જીદ ટ્રસ્ટ”, હજરત બિલાલ મસ્જીદ ટ્રસ્ટ”, “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” તેમજ “અબીર ફોઉંન્ડેશન એહમદઆબાદ” પણ જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, “હ્યુમાનીટી ફાઉન્ડેશન” દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકેશનના સમયે ગરીબ તથા મધ્યમ વર્ગના બાળકોને ફ્રી નોટબુકનું કાર્યક્રમ સફળતા પુ્ર્વક યોજાયો હતો.