Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : હોળી-ધુળેટી નિમિત્તે ગરીબ બાળકોને નિઃશુલ્ક પિચકારીનું વિતરણ કરાયું

અમદાવાદ,તા.૧૩

ગુરૂવારના રોજ રાજ્યભરમાં હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે શુક્રવારના રોજ ધૂળેટીનો પર્વ મનાવવામાં આવશે.

શહેરના રાયખડના સામાજીક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ ગરીબ બાળકો પણ તહેવાર મનાવી શકે તે હેતુથી રાયખડ સ્થિત જવાહર ચોક ખાતે બાળકોને પિચકારીનું મફતમાં વિતરણ કર્યું હતું. આ પ્રસંગે મહિલા આગેવાન પરવીનબાનું શેખ અને સ્થાનિક અગ્રણી નીલોફર બેન જોડાયા હતા.