Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ અમદાવાદ

સૂફીસંત “હઝરત અબ્દુસ્સ્મદ ખુદાનુમા અને પીરાનપીર (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના ઉર્ષ નિમિત્તે અકીદતની ગલેફ પેશ કરાઈ

અમદાવાદ,તા.૧૩

બંને સુફીસંતોના મઝાર શરીફ પર ચાદર ચઢાવીને આપણા  દેશમાં શાંતિ સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા ગુજરાત અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી.

અહમદાબાદ શહેરની મધ્યમાં લાલ દરવાજા ખાતે આવેલ મહાન સૂફીસંત “હઝરત અબ્દુસ્સ્મદ ખુદાનુમા (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના સંદલ-ઉર્ષ નિમિત્તે અકીદતની ચાદર ચઢાવવામાં આવી હતી. તેમજ હાલમાં જમાલપુર ગાયકવાડ હવેલી પાસે આવેલ “હઝરત પીરાનપીર (રેહ્મતુલ્લાહ અલૈહ)”ના સંદલ-ઉર્ષની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. તે જોતા તેમના મજાર શરીફ પર અકીદતની ચાદર પેશ કરવામાં આવી હતી.

આજરોજ અસરની નમાઝ બાદ સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી દ્વારા મજાર શરીફ પર અકીદતની ચાદર પેશ કરવામાં આવી હતી. જેમાં સામાજિક કાર્યકરો રીઝવાન આંબલીયા, સિદ્દી સિકંદર, રીયાઝ અરબ, સોહૈલ શેખ, મોહમ્મદ નોમાન, અનીશભાઈ શેખ તથા “સફીર” ન્યુઝ પેપરના તંત્રી આસીફ શેખ પણ જોડાયા હતા.

આ પ્રસંગે મહાન સુફીસંતોની દુઆઓથી વસેલા અને આબાદ થયેલા વલીઓના શહેર અહમદાબાદ સહિત સમગ્ર ગુજરાતમાં અને દેશમાં શાંતિ સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તથા ગુજરાત અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી.