Safeer News

Breaking News from Ahmedabad

રમતગમત Sports

ઓલ ઇન્ડિયા દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય કેપ્ટન તરીકે સરફરાજ ખાનની પસંદગી કરવામાં આવી

(ઓઝેફ તીરમીઝી દ્વારા)

નાનપણથી જ ક્રિકેટ રમવાના શોખીન સરફરાજખાનનું ક્રિકેટની દુનિયામાં 28 વર્ષનું સફર ખરેખર સફળ રહ્યું છે.

અમદાવાદ,તા.24

ઓલ ઇન્ડિયા દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યની ટીમના  કેપ્ટન તરીકે સરફરાજ ખાનની પસંદગી કરવામાં આવી છે.

નાનપણથી જ ક્રિકેટ રમવાના શોખીન સરફરાજખાનનું ક્રિકેટની દુનિયામાં 28 વર્ષનું સફર ખરેખર સફળ રહ્યું છે. જેઓ ૨૦૧૨માં દિવ્યાંગોની IPLમાં ગુજરાત ટીમ ચેમ્પિયન તરીકે પણ રમી ચૂકેલ છે અને સરફરાજ ખાન મેન ઓફ ધ મેચ રહ્યા હતા.

રાષ્ટ્રીય કક્ષાની દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યની ટીમ તરફથી અમદાવાદના સરફરાજ ખાનની કેપ્ટન તરીકે નિમણૂક થવા બદલ ચારે તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે..