Safeer News

Breaking News from Ahmedabad

રમતગમત

બાંગ્લાદેશના ક્રિકેટર શાકિબ અલ હસને પીએમ મોદી સાથે મુલાકાત કરી આભાર માન્યો

ઢાકા,તા.૨૭
બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસન ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જઇ શક્યો નથી. તે હાલમાં પેટરનિટી લીવ પર છે. આ દરમ્યાન બાંગ્લાદેશના પ્રવાસે પહોંચેલા ભારતના પ્રાઇમ મીનીસ્ટર નરેન્દ્ર મોદીને લઇને તેણે પ્રતિક્રિયા આપી હતી. શાકિબે પીએમ મોદીનો આભાર માનવા સાથે તેમના વખાણ પણ કર્યા હતા. શાકિબ અલ હસને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. શાકિબે કહ્યુ, ભારતના પીએમ નરેન્દ્ર મોદીને મળીને ખૂબ જ સન્માનિત અનુભવી રહ્યો છુ. શાકિબે કહ્યુ, મને લાગે છે કે, તેમની યાત્રા બંને દેશો માટે ખૂબ ફળદાયી રહેશે. ભારત માટે તેમણે જે લીડરશીપ દર્શાવી છે, તે જબરરદસ્ત છે. આશા કરુ છુ કે, ભવિષ્યમાં ભારત આગળ વધવાનુ જારી રાખે અને ભારત સાથેના અમારા સંબંધો દિવસે-દિવસે વધારે શ્રેષ્ઠ થતા રહે.
બાંગ્લાદેશનો સ્ટાર ખેલાડી શાકિબ અલ હસન આઇપીએલમાં રમતો જાેવા મળશે. શાકિબને કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ દ્રારા ખરીદવામાં આવ્યો હતો. હવે તે આઇપીએલમાં ભાગ લેવા માટે જલદીથી ભારત આવી પહોંચશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ તેને આઇપીએલમાં રમવા માટે એનઓસી આપી દીધી છે. દરમ્યાન તેના માટે એવી પણ ચર્ચાઓ રહી હતી કે, બાંગ્લાદેશ બોર્ડ તેની એનઓસી પરત લેશે, પરંતુ હવે તે સ્થિતી પણ સ્પષ્ટ બની ચુકી છે અને તે આઇપીએલમાં રમનારો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ રીતે કહ્યુ હતુ, તેઓ શાકિબની એનઓસી પરત નહી લે.
આઇપીએલમાં પહેલા પણ શાકિબ અલ હસન કલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમી ચુક્યો છે. ત્યારબાદ તે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પણ રમ્યો છે. પાછળના વર્ષે આઇસીસી ના બેનને લઇને તે ટુર્નામેન્ટમાં ભાગ લઇ શક્યો નહોતો. ફિક્સરો દ્રારા સંપર્ક કરવાની વાતને નહી બતાવવાને લઇને તેને સજા કરવમાં આવી હતી. જાેકે તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે. હાલમં જ તે વેસ્ટઇન્ડીઝ સામે વન ડે સિરીઝમાં મેદાન પર પરત આવ્યો હતો. જેમાં તેણે પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *