Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

“વિશ્વ રક્તદાતા દિવસ”ની ઉજવણી કરવામાં આવી

ગાંધીનગર,તા.૧૪ જૂન ૨૦૨૫

“रक्तम् जीवः इति स्थिति” (રક્ત એ જ જીવન છે)ની ઉક્તિને સાર્થક કરતો કાર્યક્રમ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય અને નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને વૈદ્ય મયુર મશરૂ (વૈદ્ય પંચકર્મ વર્ગ-૧) ના માર્ગદર્શન હેઠળ RMO મેડમ શ્રી અનુરાધા અગ્રવાલના સહયોગથી સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ખંભોળજ ખાતે “વિશ્વ રક્તદાતા દિવસ” નિમિત્તે સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેંક, આણંદના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

“रक्तम् जीवः इति स्थिति” (રક્ત એ જ જીવન છે)ની ઉક્તિને સાર્થક કરતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ, પંચકર્મનું એક અગત્યનું કર્મ – રક્તમોક્ષન અને રક્ત બસ્તિ જેવા કર્મોને આધુનિક સમયમાં વ્યવહારુ બનાવી અપનાવવા અને માનવ સેવાના ઉમદા હેતુને સિદ્ધ કરવાનો હતો. આ પ્રવૃત્તિમાં સહકાર આપનાર સુરજબા સરકારી આયુર્વેદ હોસ્પિટલના તમામ સ્ટાફ મિત્રો તેમજ ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેંકની ટીમના ડો. રિદ્ધિ પટેલ મેડમ, ખુશ્બુ પટેલ, વિવેક કુમાર અને મિતુલભાઈ સોલંકીનો હોસ્પિટલ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.