તોલવડ (ભાદરણ)ના પ્રા. શાળાના બાલવાટીકાથી ધોરણ – ૮માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને દાતાશ્રી જયનાબેન પટેલ, હનસ્વીબેન પટેલ, માનસીબેન પટેલ , ગુન્જનબેન પટેલ તરફથી અભિષેકભાઇ પટેલ અને જયેશભાઈ પટેલના હસ્તે- તમામ વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડા આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમના સત્રની શરૂઆતમા રસ-પુરી, પુલાવ-કઢી, પનીર સબ્જીનુ પાકુ તિથી ભોજન આપવામાં આવ્યું હતું. તે બદલ તમામ વિદ્યાર્થીઓ, શાળા, પરિવાર અને એસ. એમ. સી. પરિવાર દાતા શ્રી અને સમસ્ત પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.