Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ અમદાવાદ

અમદાવાદમાં “જુલુશ-એ-ગૌષીયા” કાઢીને “ગૌષ પાક (રેહ્મતુલ્લાહ અલૈહ)”ની ૧૧વી શરીફની ઉજવણી કરવામાં આવી

“ગૌષ પાક (રેહ્મતુલ્લાહ અલૈહ)ની શાનમાં મનકબત પઢતા-પઢતા અને ઝૂમતા-ઝૂમતા આશિકોએ “જુલુશ-એ-ગૌષીયા” કાઢીને “ઈદે-ગૌષીયા” ગૌષ પાક (રેહ્મતુલ્લાહ અલૈહ)ની ૧૧વી શરીફની ઉજવણી કરી

અમદાવાદ,તા.૧૫

આજરોજ અમદાવાદ શહેરના જમાલપુર ખમાશા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ “દારુલ ઉલૂમ શાહેઆલમ” તરફથી પીરોના પીર, રોશન ઝમીર હઝરત શેખ અબ્દુલ કાદિર જીલાની (રેહ્મતુલ્લાહ અલૈહ)ની ગ્યારવી શરીફ નિમિત્તે “જુલુશ-એ-ગૌષીયા” કાઢીને “ઈદે-ગૌષીયા” ગૌષ પાકની ૧૧વી શરીફની સાદગીભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

આ જુલુશનો આયોજન “દારુલ ઉલૂમ શાહેઆલમ” દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ જુલુશ ખમાશા “દારુલ ઉલૂમ શાહેઆલમ”થી સવારે ૧૦ વાગ્યે નીકળ્યો હતો. જેમાંગૌષ પાક”ની શાનમાં મનકબત પઢતા પઢતા આશિકો ખમાસાથી નીકળીને ઢાલગરવાડ, ત્રણ દરવાજા, પટવાશેરી, રીલીફ રોડ, સલાપસ રોડ, GPO રોડથી મિરઝાપુર ચોક ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ મિરઝાપુર કુરેશ હોલ ખાતે નીયાઝ્નું પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું જેમાં અકીદતમંદોએ ગ્યારહવી શરીફની ઉજવણી કરી હતી.

આ જુલુસમાં “દારુલ ઉલૂમ શાહેઆલમ” કમિટીના સભ્યોનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ૧૧વી શરીફની ખુશીના પ્રસંગે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. આપણા શહેરમાં, ગુજરાતમાં તથા સમગ્ર ભારતમાં કૌમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવી દુઆ કરવામાં આવી હતી.