Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

29 જૂનની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે

(અબરાર એહમદ અલવી)

પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર સ્ટેશન પર લાઈન નં. 1-3, 4-5 અને 6-7 વચ્ચે 6 મીટર ફૂટ ઓવર બ્રિજથી કનેક્ટિવિટી માટે સ્ટીલ ગર્ડર લોન્ચિંગ હેતુ પ્રસ્તાવિત બ્લોકને કારણે ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.:-

*29 જૂન 2024ની ટ્રેન નંબર 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ભીલડી અને પાલનપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ, રૂટ અને માળખું વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.