Safeer News

Breaking News from Ahmedabad

સૂફીવાદ

હઝરત શાહ વજીહોદ્દીન (ર.હ)ના સંદલ અને ઉર્સની ઉજવણી સાદગીથી કરવામાં આવશે

(અબરાર અલવી)
અમદવાદના ખાનપુર ખાતે પ્રખ્યાત સૂફી સંત અને આલીમે દિન હઝરત શાહ વજીહોદ્દીન ગુજરાતી(ર.હ)ના સંદલ અને ઉર્સની ઉજવણી ૭ સપ્ટેમ્બર મંગળવારે કોરોનાને કારણે સાદગીથી કરવામાં આવશે. કોરોનાને કારણે રાત્રે ૧૧ વાગે કરફ્યુ હોવાથી હઝરત શાહ વજીહોદ્દીન (ર.હ)ની દરગાહ રાતે બંધ રેહશે.

કોરોના પેહલા આપના સંદલ અને ઉર્સની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હતી અને આખી રાત દરગાહ લોકો માટે ખુલ્લી રેહતી હતી પરંતું કોરોનાને કારણે સંદલ અને ઉર્સની ઉજવણી સાદગીથી કરવામાં આવશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *