Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

વૈવાહિક બળાત્કાર : શું પતિ પત્ની સાથે બળજબરી કરી શકે ? જાણો ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં શું છે કાયદો

વૈવાહિક બળાત્કાર ગુનાહિત નથી : વિશ્વમાં એવા 34 દેશો છે જ્યાં વૈવાહિક બળાત્કાર એ ગુનો નથી અને સ્ત્રીઓને તેમના પતિ વિરુદ્ધ વૈવાહિક બળાત્કાર માટે ફોજદારી ફરિયાદ નોંધાવવાનો અધિકાર નથી.

દિલ્હી હાઈકોર્ટની બે જજની બેન્ચે બુધવારે વૈવાહિક બળાત્કાર (Rape) અંગે ખંડિત ચુકાદો આપ્યો હતો. જ્યાં એક જજે કલમ 375ને બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તો અન્ય ન્યાયાધીશે વૈવાહિક બળાત્કારને ગુનો ગણ્યો ન હતો. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશોના ખંડિત નિર્ણય બાદ ફરી એકવાર વૈવાહિક બળાત્કારનો મામલો ચર્ચામાં છે. જે અંગે કાયદાના તજજ્ઞો સહિત સમાજના લોકોનો અભિપ્રાય પણ વહેચાયેલો છે. આખરે વૈવાહિક બળાત્કાર શું છે? ભારતનો કાયદો શું કહે છે ? અન્ય દેશોમાં આ અંગે શું જોગવાઈ છે? આવો અમે તમને આ મામલાને લગતા આવા તમામ પ્રશ્નો વિશે જણાવીએ.   

વૈવાહિક બળાત્કાર શું છે?

જ્યારે પતિ સંમતિ વિના તેની પત્નીને બળજબરીથી જાતીય સતામણી કરવા માટે કોઈપણ પ્રકારના બળનો ઉપયોગ કરે છે, ત્યારે તેને વૈવાહિક બળાત્કાર કહેવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, પતિ ઘણીવાર પત્નીને તેની સંમતિ વિના સંબંધ બાંધવા દબાણ કરે છે અને તેને નુકસાન પહોંચાડે છે અથવા કોઈ વાતનો ડર બતાવે છે.   

ભારતનો કાયદો શું કહે છે?

જો કોઈ મહિલા તેના પતિ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરે છે, તો તેના પર બળાત્કારનો કેસ નોંધી શકાય નહીં. ભારતીય કાયદામાં, IPCની કલમ 375 હેઠળ વૈવાહિક બળાત્કારને અપવાદ આપવામાં આવ્યો છે. કલમ 375 મુજબ જો પત્નીની ઉંમર 18 વર્ષથી વધુ હોય અને પતિએ પત્નીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે બળજબરીથી સંબંધો બાંધ્યા હોય તો તેને બળાત્કાર ગણવામાં આવતો નથી.   

વૈવાહિક બળાત્કાર અંગે સરકાર શું વિચારે છે?

કેન્દ્ર સરકારે વૈવાહિક બળાત્કાર રોકવા માટે મજબૂત કાયદો બનાવવાનું સમર્થન કર્યું છે. સરકારનું માનવું છે કે આમ કાયદો પરિણીત મહિલા માટે તેના પતિની જાતીય સતામણી અટકાવવા માટે કાયદાકીય સાધન તરીકે કામ કરશે. સરકારના મતે, વૈવાહિક બળાત્કારને ગુનાહિત બનાવવાથી ભારતીય સમાજમાં લગ્નની વ્યવસ્થા અસ્થિર થઈ શકે છે. તેથી તેના નિવારણ માટે અને મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે આ કાયદાની સખત જરૂર છે.   

કેટલા દેશોમાં વૈવાહિક બળાત્કાર ગુનો છે?

પોલેન્ડ વિશ્વનો પહેલો દેશ છે જ્યાં વૈવાહિક બળાત્કારને ગુનો ગણવામાં આવે છે. પોલેન્ડમાં વર્ષ 1932માં વૈવાહિક બળાત્કાર વિરુદ્ધ કાયદો બનાવવામાં આવ્યો હતો. તે પછી, વર્ષ 2018 સુધીના એક રિપોર્ટ અનુસાર, વિશ્વમાં કુલ 77 એવા દેશ છે જ્યાં વૈવાહિક બળાત્કારને ગુનો જાહેર કરવા માટે સ્પષ્ટ કાયદા બનાવવામાં આવ્યા છે. 74 દેશો એવા છે કે જ્યાં મહિલાઓને તેમના પતિ વિરુદ્ધ બળાત્કાર માટે ફોજદારી ફરિયાદ નોંધાવવાની જોગવાઈ છે.   

સમગ્ર વિશ્વમાં 34 દેશો એવા છે જ્યાં ન તો વૈવાહિક બળાત્કાર ગુનો છે અને ન તો મહિલાઓને તેમના પતિ વિરુદ્ધ વૈવાહિક બળાત્કાર માટે ફોજદારી ફરિયાદ નોંધાવવાનો અધિકાર છે. આ 34 દેશોની યાદીમાં ભારત પણ સામેલ છે. દુનિયાના 12 દેશોમાં એવી જોગવાઈ છે કે જો બળાત્કારનો આરોપી પીડિત મહિલા સાથે લગ્ન કરે તો તે આરોપમાંથી મુક્ત થઈ જાય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *