Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

રિવરફ્રન્ટ રોડ 22 ઓગષ્ટથી ચાર દિવસ સાંજે વાહનો માટે બંધ રહેશે

અમદાવાદ,

રિવરફ્રન્ટ રોડ 22 ઓગષ્ટથી ચાર દિવસ સાંજે વાહનો માટે બંધ રહેશે. 75માં સ્વતંત્રતા દિન અંતર્ગત બીએસએફના જવાનો દ્વારા 25 ઓગસ્ટે સાંજે રિવરફ્રન્ટ ખાતે બાઈક રોડ શો યોજવામાં આવશે. જેનું રિહર્સલ 22, 23 અને 24 ઓગસ્ટે સાંજે રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે. જેથી 22થી 24 ઓગસ્ટ સુધી સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી આંબેડકર બ્રિજ નીચેના રિવરફ્રન્ટ રોડ સુધી બંધ રહેશે. વાહન ચાલકોએ રિવર ફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી, એનઆઈડી સર્કલ અને ત્યાથી પાલડી ચાર રસ્તાની ડાબી બાજુ વળી અંજલી ચાર રસ્તા તરફ અવર જવર કરી શકશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રિવરફ્રન્ટ રોડ બંધ કરાતા આશ્રમ રોડ પર 2 કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યારે વધુ એક વાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય શકે છે.

(અબરાર અલ્વી)

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *