Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

બે સંતાનોની માતાએ પ્રેમી સાથે લગ્ન કરવાં પતિથી છૂટાછેડા લીધા : પ્રેમી લગ્ન ન કરતાં રઝડી

181 અભયમ મહિલાને સુરક્ષિત આશ્રયગૃહમાં રહેવાની વ્યવસ્થા કરી

મહેસાણાના એક ગ્રામ્ય વિસ્તારની પરણિત મહિલા બે સંતાન અને પતિની પરવા કર્યા વગર પ્રેમમાં અંધ બની પ્રેમીના લગ્ન કરવાના વચનોમાં આવી બે સંતાનો અને પતિને છોડી પાટણના એક ગામના પ્રેમી પાસે લગ્ન કરવા માટે આવતા પ્રેમી પણ પરણિત હોય લગ્ન કરવાનો ઇનકાર કરતાં અંતે મહિલા પાસે કોઈ આધાર ન રહેતા રઝડી પડી હતી. છેલ્લા ચાર મહિનાથી ઉત્તર ગુજરાતના વિવિધ શહેરોમાં રઝળપાટ કરી જીવન નિર્વાહ કરતી હોય પાટણ નજીક ગામમાં ચોધાર આંસુએ રડતી હાલતમાં 181 અભયમ ટીમને મળી આવતા મહિલાઓની સુરક્ષા માટે આશ્રય ગૃહમાં રાખવામાં આવી હતી.

મહેસાણાના એક ગ્રામ્ય વિસ્તારની 30 વર્ષીય પરિણીત મહિલાને મજૂરી અર્થે પાટણના એક ગામમાં આવવાનું થતાં ત્યાંના સ્થાનિક 40 વર્ષીય પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાતા પ્રેમમાં અંધ બનેલી મહિલા પોતાના બે સંતાનો અને પતિને તરછોડી પ્રેમી સાથે લગ્ન કરવા ચાર માસ અગાઉ પતિને છુટાછેડા આપી દીધા હતા. પતિને છુટાછેડા આપ્યા બાદ પ્રેમી પાસે આવતા પ્રેમી દ્વારા લગ્નના વાયદાઓ આપી ખર્ચ પેટે રકમ આપી પરત મોકલી દેવામાં આવતી હતી. છેલ્લા ચાર મહિનાથી આ મહિલા ઉત્તર ગુજરાતના વિવિધ શહેરોમાં રઝળપાટ કરી જીવન નિર્વાહ કરી રહી હતી. બે દિવસ અગાઉ પાટણના એક ગામમાં બસ સ્ટેન્ડ બહાર મહિલા રડતી હાલતમાં જોવા મળતા સ્થાનિક લોકો દ્વારા 181 અભયમને જાણ કરતાં અભયમના કાઉન્સિલર લક્ષ્મીબેન સોલંકી તેમજ મહિલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મહિલાને આશ્વાસન આપી તેની સમગ્ર વિગતો જાણી હતી. કોઇ આશરો ન હોય મહિલા સુરક્ષિત રહે તે માટે તેને આશ્રય ગૃહમાં મોકલી છે

કાઉન્સિલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું હતું કે મહિલા જે પુરુષના પ્રેમમાં પોતાના બે સંતાન અને પતિ સાથે છૂટાછેડા લીધા હતા. તે પુરુષનો સંપર્ક કરતા તે પરણિત છે. આ મહીલા સાથે લગ્ન કરતો ન હતો ખાલી આશ્વાસન આપ્યા હતા. આ મહિલા બંને તરફથી રખડી પડતા તેને કોઈ આશરો ના હોય તેની સુરક્ષા માટે અભ્યમ ટીમ દ્વારા હાલમાં સુરક્ષિત આશ્રય ગૃહમાં રાખવામાં આવી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *