Safeer News

Breaking News from Ahmedabad

દેશ

પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં ઘૂસીને ખૂની ખેલ ખેલ્યો, આઘાતમાં મોટા ભાઈએ જીવન ટૂંકાવ્યું

ભોપાલ,

પ્રેમિકાને પામવા પ્રેમમાં પાગલ બનેલા શખ્સના લીધે પાંચ લોકોના જીવ ગયા છે. પાગલ પ્રેમીએ ભરેલા પગલાના લીધે લોકોમાં ભારે ગભરામણ ફેલાઈ રહી છે. ભાનુ ઠાકુર નામના આશિકે ભરેલા પગલાના કારણે એકથી વધારે પરિવારોમાં દુઃખના પહાડ તૂટી પડ્યા છે. બેતુલમાં બનેલી ઘટનામાં પહેલા ત્રણની હત્યા અને એક આપઘાતનો કેસ બન્યો હતો જોકે, હવે તેમાં વધુ એક નાની ઉંમરના યુવકનું મોત ઉમેરાયું છે. આ ઘટના વિશે વિચારીને લોકોને કંપારી છૂટી જતી હતી ત્યાં વધુ એક મોત થતા ડરનો માહોલ સર્જાયો છે.

ભાનુ ઠાકુરે પોતે કરેલી ત્રણ હત્યા માટે પ્રેમિકા બરખાને જવાબદાર ગણાવી હતી, તેની સાથે એવી પણ વિગતો સામે આવી રહી છે કે ભાનુનું બરખા સાથે બ્રેકઅપ થયા બાદ તે ખુબ ગુસ્સામાં રહેતો હતો અને વારંવાર તેની પ્રેમિકાને મનાવવાની કોશિશો કર્યા બાદ આવેશમાં આવી જતો હતો. આ પછી તે પ્રેમિકાના ઘરે આવેશમાં પહોંચ્યો હતો અને ખૂની ખેલ ખેલ્યો હતો. ત્રણ લોકોની હત્યા કરીને પોતે આપઘાત કરી લીધો હતો.

મધ્યપ્રદેશના બેતુલના 28 વર્ષના નાગેશ તોમર નામના યુવકે પોતાના ભાઈની આવી હરકત જોઈને આઘાતમાં આવી જઈને આપઘાતનું પગલું ભર્યું છે. બેતુલના એસપી સિમલા પ્રસાદે જણાવ્યું છે કે, “મૃતક નાગેશ તોમર, ત્રણ લોકોની હત્યા કરીને આપઘાત કરનાર ભાનુ ઠાકુરનો મોટો ભાઈ છે. ભાનુએ 10 તારીખે ત્રણની હત્યા કરીને પોતે આપઘાત કર્યો હતો. નાગેશ ચાની કિટલી ચલાવતો હતો. તેણે આપઘાત કરતા પહેલા અંતિમ ચિઠ્ઠી પણ લખી છે, જેમાં તેણે પોતાના ભાઈએ ભરેલા પગલાના કારણે થયેલા માનહાનીથી પરેશાન રહેતો હતો. “વધુમાં સિમલા પ્રસાદ જણાવે છે કે, “10 જુલાઈના દિવસે બનેલી ઘટના બાદ મૃતક નાગેશ રોજની જેમ જ સોમવારે ચાની કિટલી પર ગયો હતો, તેના ભાઈએ ખેલેલા ખૂની ખેલનો કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને તેના કારણે તે આઘાતમાં સરી પડ્યો હતો, સોમવારે પણ લોકોએ તેની સાથે એ જ મુદ્દા પર વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. આ પછી તેને લોકોની વાતોથી લાગી આવતા તે ઘરે ભાગી ગયો હતો અને તેને આપઘાત કરી લીધો હતો.” જ્યારે તેણે આપઘાત કર્યો ત્યારે તેનો મોટો ભાઈ, ભાભી અને મા પણ ઘરે જ હતા, પરંતુ તેઓ બીજા રૂમમાં હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *