Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

દહેગામ નગરપાલિકાના તઘલકી નિર્ણયથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

(અબરાર એહમદ અલ્વી)

દહેગામ,

દહેગામ નગરપાલિકા દ્વારા કોરોના કાળમાં સિઝનેબલ ધંધો કરતા વેપારીઓ પાસેથી ઉઘરાણું શરૂ કરાતા રોષની લાગણી જન્મી છે. વહીવટી ચાર્જના નામે વેપારીઓ પાસેથી પંદરસો જ્યારે લારીઓ વાળા પાસેથી 500 રૂપિયા ઉઘરાવતાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

દહેગામ નગરપાલિકાના આ નિર્ણયથી વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને આ તઘલકી નિર્ણયો પાલિકા પરત લે તેવી માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *