Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

જમાલપુર-રાયખડના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરાયું

અમદાવાદ,

શહેરના જમાલપુર રાયખડ વિસ્તારમાં રહેતા જરુરીયાતમંદ વિદ્યાર્થીઓને બુધવારના રોજ સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં ચોપડાઓનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલિયો ઉપસ્થિત રહી લાભ મેળવ્યો હતો.

આ પ્રસંગે “ઉમ્મત ફાઉન્ડેશન”ના પ્રમુખ સલીમ મુન્શી, શીરીનબેન મેમણ, લિયાકત મેમણ, ઇમરાન અરબ, ઈદે મિલાદુન્નબી સેન્ટ્રલ કમિટીના પૂર્વ પ્રમુખ મોહંમદ હુસૈન શેખ, સામાજિક કાર્યકરો ફૈયાઝખાન પઠાણ, જાવેદ સાકીવાલા, મોહસીન મનસુરી ઉપરાંત અતિયા કાદરી, મુગીઝા કાદરી, એજાજુદ્દીન કાદરી, મોહસીન કાદરી, હિના કાદરી, આસ્મા ચિશ્તી, તિસ્મીયા ચિશ્તી, ફેમિદા કાદરી વગેરેએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થયા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *