Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

કાલથી મિની લોકડાઉનમાં રાહત : સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખૂલ્લી રહેશે દુકાનો

છેલ્લા ઘણા સમયથી નાના વેપારીઓ તરફથી માંગ કરવામાં આવી રહી હતી કે તેમને વેપાર-ધંધા કરવામાં થોડી છૂટ આપવામાં આવે. પરંતુ કોરોનાના કહેરને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે તેમાં કોઈ છૂટ આપી ન હતી. હવે જ્યારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે અને કેસ તથા મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે વેપાર-ધંધા માટે છૂટ આપવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો રાખવામાં આવ્યા હતા. જો કે, હવે પરિસ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે અને કેસની તથા મૃત્યુની સંખ્યા પણ સતત ઘટી રહી છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ નિયંત્રણોમાં છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 21થી 27 મે સુધી વેપાર-ધંધાને છૂટ આપવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં 21 મેથી એટલે કે આવતીકાલથી નિયંત્રણો ધરાવતા 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. મુખ્યમંત્રીએ પીપાવાવમાં આ જાહેરાત કરી હતી. કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો રાખવામાં આવ્યા હતા. જો કે, હવે પરિસ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે અને કેસની તથા મૃત્યુની સંખ્યા પણ સતત ઘટી રહી છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ નિયંત્રણોમાં છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 21થી 27 મે સુધી વેપાર-ધંધાને છૂટ આપવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં 21 મેથી એટલે કે આવતીકાલથી નિયંત્રણો ધરાવતા 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે. જો કે, રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે, તેમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણોની સમય મર્યાદા 18 મેએ પૂરી થતી હતી પરંતુ રાજ્યમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાના કારણે તેને 21 મે સવારે છ વાગ્યા સુધી લંબાવવામાં આવ્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *