Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ઇકબાલભાઇ બેલીમએ કોરોના સામે સતર્કતા, જાગૃકતા માટેના જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી

શહેરના ત્રણદરવાજા વિસ્તારના ઇકબાલભાઇ બેલીમ કોમી એખલાસનું પ્રતિક

અમદાવાદ,

આ વર્ષે કોરોનાકાળ વચ્ચે પવિત્ર પર્વ ભાઇ અને બહેનના સ્નેહનો પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે સશક્ત બહેન પોતાના ભાઇ પાસેથી રક્ષણની ભેટ મેળવે છે. બહેન પણ ભાઇના કાંડા પર રાખડી બાંધીને ભાઇના જીવનના ડગલે અને પગલે દરેક પરિસ્થિતિ વચ્ચે પણ સલામતીની સાથે સફળતાની મનોકામનાની પ્રાર્થના કરે છે.

જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ

શહેરના ત્રણ દરવાજા વિસ્તારના ઇકબાલભાઇ બેલીમએ કોરોનાકાળમાં કોરોના સામે સતર્કતા અને જાગૃકતા માટેના જનહિતના સંદેશા આપતી અવનવી રાખડીઓ તૈયાર કરી છે. તેમના દ્વારા લોકોને કોરોના સામે સુરક્ષિત કરી લોકો સ્વરક્ષણ કાજે માસ્ક પહેરતા થાય અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરતા થાય, સેનિટાઇઝરનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આ આકર્ષિત રાખડીઓ બનાવવામાં આવી છે. ઇકબાલભાઇ બેલીમ કહે છે કે “રાજ્યભર અને દેશભરમાં રક્ષાબંધનના પર્વની લાગણીસભર ઉજવણી થાય છે. આ વર્ષે કોરોનાકાળ વચ્ચે જ્યારે રક્ષા બંધનનો તહેવાર ઉજવવાનો હોય ત્યારે બજારમાં અન્ય રાખડીઓની સાથે કોરોનાના સંદેશા આપતી રાખડી ઉપલ્બધ કરાવીને એક જનજાગૃતિ લાવવાનો નાનો પ્રયાસ છે. બજારમાં ઉપલબ્ધ કરાવેલી આ રાખડીઓ લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *