Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

હજરત શાહેઆલમ (રહે.)ના 563માં ઊસૅ નિમિત્તે ચાદર પેશ કરવામાં આવી

અમદાવાદ,

હજરત પીર મોહંમદ શિરાજુદિન શાહેઆલમ (રહે)ના 563માં ઊસૅ મુબારક નિમિત્તે સામાજીક કાર્યકર બુરહાનુદીન કાદરીની આગેવાનીમાં દરગાહ ખાતે ચાદર પેશ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં શાહેઆલમ રોઝા ટ્રસ્ટના ટ્રસ્ટી સૈયદ મુનાફ એહમદ નાઝીર હુસેન બુખારી તથા ટ્રસ્ટી ઝુલ્ફીકાર અલી ફઝલે અલી બુખારી તથા શરાફત અલી, નઝર અલી બુખારી (ઓલાદે શાહે આલમ )તથા ખિદમતગુજાર, મોહંમદ અયાઝ(મુલ્લા) તથા સામાજિક કાર્યકર રિઝવાન આંબલિયા જોડાયા હતા. દરગાહમાં ચાદર પેશ કર્યા પછી સમગ્ર ભારતના લોકો માટે કોરોનાની મહામારીથી બચવા માટે દુઆ કરવામાં આવી હતી. સરકારની ગાઈડ લાઈન મુજબ હજરત શાહેઆલમ (રહે.)ના 563માં ઊસૅ સાદગી પુવૅક ઊજવવામાં આવ્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *