Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

યુએઇએ ભારતની હિંમત વધારી, ત્રિરંગાના રંગે રંગાયુ બુર્જ ખલીફા


આબુધાબી
ભારતમાં કોરોના વાયરસ મહામારીથી પરિસ્થિતિ વિકરાળ બની છે તેની વચ્ચે દુનિયાભરના કેટલાંય દેશો મદદ માટે આગળ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે UAEએ ભારતના પ્રત્યે એકજૂથતા દેખાડવા માટે દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગમાંથી એક બુર્જ ખલીફાને તિરંગાના રંગે રંગી દેવાયું. એટલું જ નહીં યુએઇએ અબુધાબીની રાષ્ટ્રીય ઓઇલ કંપનીના ટાવરને પણ તિરંગામાં દેખાડયું. આ બંને બિલ્ડિંગ્સ પર હેશટેગની સાથે #StayStrongIndiaનો મેસેજ પણ દેખાયો.
UAEની આ બિલ્ડિંગ્સ પર છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતના સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ અને ગાંધી જયંતીના અવસર પર તિરંગાના રંગમાં પ્રદર્શિત કરાય છે. પરંતુ એવું પહેલી વખત બન્યું કે આ દેશે ભારતના પ્રત્યે પોતાનું સમર્થન આ રીતે વ્યકત કર્યું હોય.
ભારત અને UAEના સંબંધ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા મજબૂત થયા છે. પાકિસ્તાન જ્યારે જમ્મુ-કાશ્મીર પર ભારત દ્વારા લેવાયેલા ર્નિણયની વિરૂદ્ધ વૈશ્વિક સમુદાયને ભડકાવાની કોશિશમાં લાગી ગયું હતું તે સમયે પણ યુએઇ ભારતની સાથે ઉભેલું દેખાયું. UAEએ ૫ ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો હટાવાના ર્નિણયને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *