Safeer News

Breaking News from Ahmedabad

દેશ મનોરંજન

ભીખમાં આઝાદી મેળવવાના નિવેદનથી કંગના રનૌતની ભારે ટીકા કરાઈ

મુંબઇ,

કંગના રનૌતના નિવેદન પછી, કેટલાક લોકોએ તેની વિરુદ્ધ રસ્તાઓ પર પ્રદર્શન કર્યું અને ફરિયાદોની માંગ વચ્ચે પૂતળા સળગાવ્યા. રનૌત પાસેથી પદ્મશ્રી પરત લેવાની પણ માંગ છે. સ્વતંત્રતા સેનાનીઓના વંશજાેએ શુક્રવારે ઈન્દોરમાં કંગનાનું પૂતળું બાળ્યું હતું. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ‘ફ્રીડમ ફાઈટર અને સક્સેસર જાેઈન્ટ ઓર્ગેનાઈઝેશન’ના લોકોએ શહેરના એમજી રોડ પર કંગનાનું પૂતળું બાળ્યું. આ દરમિયાન તેણે ‘બહાદુર શહીદોનું અપમાન, નહીં સહેગા હિન્દુસ્તાન’, ‘કંગના રનૌત મુર્દાબાદ’ અને ‘કંગના રનૌત દેશની બહાર’ જેવા નારા પણ લગાવ્યા હતા. દેખાવકારોએ ઈન્દોર ડિવિઝન કમિશનરની ઓફિસમાં રનૌતના વિવાદાસ્પદ નિવેદન સામે એક મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું.

કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક વર્ગમાં ડ્રગ્સના ઉપયોગ વિશે પણ વાત કરી. કંગનાના વિવાદાસ્પદ ટ્‌વીટને કારણે તેનું ટિ્‌વટર એકાઉન્ટ પણ કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. ટિ્‌વટરે કહ્યું કે, આ “ટિ્‌વટરના નિયમોના સતત ઉલ્લંઘન માટે” કરવામાં આવ્યું છે. મુંબઈમાં પણ NSUIના કાર્યકરોએ કંગનાના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે કહ્યું કે, રાણાવતને આપવામાં આવેલ પદ્મશ્રી પુરસ્કાર તેમની સ્વતંત્રતા પરની વિવાદાસ્પદ ટિપ્પણી માટે પાછો ખેંચી લેવો જાેઈએ અને અભિનેત્રી સામે સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરવા બદલ કેસ નોંધવો જાેઈએ. તેના પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે અભિનેત્રી ‘મલાના ક્રીમ’ના ઓવરડોઝ પછી વધુ પડતી વાત કરે છે. નોંધનીય છે કે, ‘મલાના ક્રીમ’ એક પ્રકારનો હશીશ છે, જેનું નામ હિમાચલ પ્રદેશની મલાના ખીણ પરથી પડ્યું છે. ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતના “ભીખમાં આઝાદી” મેળવવા અંગેના વિવાદાસ્પદ નિવેદન પર દેશભરમાં કંગના રનૌત વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે અને ઘણી જગ્યાએ તેની વિરુદ્ધ ફરિયાદો પણ દાખલ કરવામાં આવી છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ, કેન્દ્રીય મંત્રીએ પણ કંગના રનૌતના નિવેદનની ટીકા કરી છે. ભારતને સાચા અર્થમાં ૨૦૧૪માં આઝાદી મળી હતી. તેમનો ઈશારો ભારતીય જનતા પાર્ટી (BJP)પર હતો. ઉત્તરાખંડના હરિદ્વારમાં કોંગ્રેસના કાર્યકરોએ બે જગ્યાએ કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રૂડકી અને જ્વાલાપુરમાં નોંધાયેલી ફરિયાદોમાં કંગના પર સ્વતંત્રતા સંગ્રામના શહીદોનું અપમાન કરવાનો આરોપ છે. મહિલા કોંગ્રેસ વતી ફિલ્મ અભિનેત્રી વિરુદ્ધ રાજસ્થાનના ચાર શહેરો જાેધપુર, જયપુર, ઉદયપુર અને ચુરુમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જાેધપુર મહિલા કોંગ્રેસ સમિતિની અધ્યક્ષ મનીષા પંવારે ફરિયાદમાં કહ્યું કે, કંગના રનૌતે પોતાના નિવેદન દ્વારા સ્વતંત્રતા સેનાનીઓ અને દેશના લોકોનું અપમાન કર્યું છે, જે ‘રાજદ્રોહ’ની શ્રેણીમાં આવે છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ મુંબઈ પોલીસને ફરિયાદ અરજી આપી હતી, જેમાં કંગના રનૌત વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરવામાં આવી હતી. જેમાં કંગના વિરુદ્ધ આઈપીસીની કલમ ૫૦૪, ૫૦૫ અને ૧૨૪ (છ) હેઠળ કેસ નોંધવાની માંગ કરવામાં આવી હતી. AAP કાર્યકર્તાઓએ ગાઝિયાબાદમાં પણ ફરિયાદ નોંધાવી છે.

અગાઉ શિવસેનાએ પણ કહ્યું હતું કે, કંગના સામે રાજદ્રોહનો કેસ નોંધવો જાેઈએ અને તેનો પદ્મશ્રી એવોર્ડ પણ પાછો લેવો જાેઈએ. કંગનાએ તાજેતરમાં જ આ વિવાદાસ્પદ નિવેદન તેને પદ્મશ્રી એવોર્ડ અપાયાના એક દિવસ બાદ આપ્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ કંગનાના નિવેદનનો જવાબ આપતા કહ્યું કે, વાસ્તવિક આઝાદી ૧૯૪૭માં જ મળી હતી અને આવા વિષયો ફક્ત તે લોકો જ ઉઠાવે છે જેમની પાસે વિચારવાની અને સમજવાની ક્ષમતા હોય છે. બીજી તરફ બીજેપીના મહારાષ્ટ્ર યુનિટના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે, કંગનાનું આ નિવેદન સંપૂર્ણપણે ખોટું છે. પાટીલે કહ્યું, “દેશની આઝાદીની લડત પર કંગના રનૌતનું નિવેદન સંપૂર્ણપણે ખોટું છે. સ્વતંત્રતા ચળવળ પર નકારાત્મક ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી.” જાે કે, તેણે એમ પણ કહ્યું કે તે નથી જાણતો કે, અભિનેત્રીએ કઈ ભાવનામાં આ નિવેદન આપ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *