Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

તાજીયા કમિટી અહમદાબાદ દ્વારા જગન્નાથ મંદિરના મહંત શ્રીનું બહુમાન કરાયું

અમદાવાદ,તા.11

અમદાવાદ શહેરમાં 144મી રથયાત્રા ઉત્સવ નીમીત્તે “તાજીયા કમિટી અહમદાબાદ” દ્વારા આજરોજ જગન્નાથ મંદિરના મહંત શ્રી દીલીપદાસજી મહારાજને મોમેન્ટો આપી બહુમાન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને 144મી રથયાત્રાની શુભેચ્છા પાઠવી હતી.

આ શુભેચ્છા મૂલકાતમાં તાજીયા કમિટી અહમદાબાદના ચેરમેન શ્રી પરવેઝ જે. વી. મોમીન તથા જનરલ સેક્રેટરી નુરભાઇ શેખ, વાઇસ ચેરમેન શેરઅલી ટીનવાલા, મુદ્દસરભાઈ સૈયદ, અક્રમભાઈ તથા તમામ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *