Safeer News

Breaking News from Ahmedabad

કોરોના

કોરોનાથી બચવું હોય તો આ ચીજવસ્તુઓને અડ્યા પછી હાથ ધોવા જરૂરી

પ્રતીકાત્મક તસવીર

વાયરસને ફેલાતો રોકવા માટે હાથ ધોવા ખૂબ જરૂરી છે. હવે હેન્ડ વૉશિંગને ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે.

કોરોના વાયરસથી બચવા માટે હાથ ધોવા ખૂબ જરૂરી છે તે આપણે બધા જાણીએ છીએ. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, વાયરસને ફેલાતો રોકવા માટે હાથ ધોવા ખૂબ જરૂરી છે. કોરોના વાયરસની આ મહામારીમાં આપણું સામાન્ય જીવન ચોક્કસપણે બદલાઈ ગયું છે. હવે હેન્ડ વૉશિંગને ઘણું મહત્વ આપવામાં આવી રહ્યું છે. આવું કરવાથી કોઈપણ સંક્રમણ ફેલાવાનો ખતરો ખૂબ ઓછો થઈ જાય છે.

કેમ ગરમ પાણીથી હાથ ધોવા જોઈએ નહીં?

હાથ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણકે ગરમ પાણીથી હાથ ધોવાથી સ્કિન સૂકી પડી શકે છે. તમે નવશેકા પાણીથી હાથ ધોઈ શકો છો. માત્ર હાથ ધોવા પૂરતા નથી પણ આંગળીઓની વચ્ચે, કાંડુ અને નખના હિસ્સાને પણ સાફ રાખો.

કોરોનામાં તમારી સાથે સેનેટાઈઝર રાખવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસની આ મહામારીમાં હંમેશાં હેન્ડ સેનેટાઈઝર સાથે રાખવું જોઈએ. જ્યારે ટ્રાવેલ કરી રહ્યા છો ત્યારે તો ખાસ કરીને હેન્ડ સેનેટાઈઝર લઈ જવાનું ભૂલશો નહીં. આ સિવાય હાથને સ્વચ્છ રાખવા માટે હેન્ડ વાઈપ્સનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ક્યાંક બહાર જઈ રહ્યા છો, ભોજન કરી રહ્યા છો ત્યારે હેન્ડ વાઈપ્સનું પેકેટ સાથે લઈ જાઓ. જમતા પહેલા હાથને એકદમ સાફ કરવા જોઈએ.

ક્યારે-ક્યારે હાથ ધોવા જોઈએ?

  • જમવાનું બનાવતા પહેલા અને પછી
  • છીંક આવે અથવા ઉધરસ આવે તે પછી
  • જ્યારે હાથ ગંદા થાય ત્યારે ધોવા જોઈએ
  • કોઈ કચરાને સ્પર્શ કરો પછી હાથ ધોવા જોઈએ
  • ટોઈલેટના ઉપયોગ પછી હાથ ધોવા જોઈએ
  • બહારથી ઘરે આવો ત્યારે સૌપ્રથમ હાથ ધોઈ લો
  • ઘરમાં પાલતુ પ્રાણી છે તો તેને અડ્યા પછી હાથ ધુઓ

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *